-->

૧૪ વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગઈ હતી “રસના ગર્લ”, પોતે દુનિયા છોડીને જતી રહેશે તેનો તેને અંદાજો આવી ગયો હતો

 

મનુષ્યનાં જીવનનો કોઈ ભરોસો હોતો નથી, ક્યારે, કોની સાથે શું થઈ જાય. જો તેનો અંદાજો લોકોને થવા લાગે તો દુનિયામાં એક્સિડન્ટ નામની કોઈ ચીજ જ ના રહે. કંઈક એવું જ થયું હતું બોલિવૂડની બાળ કલાકાર તરુણી સચદેવ સાથે. આ નામ કદાચ તમને યાદ ના હોય પરંતુ તે સુંદર “રસના ગર્લ” યાદ છે ? જે માસુમીયતથી “આઇ લવ યુ રસના” બોલતી હતી. તે જ તરુણી સચદેવ એક ઇન્ડિયન મોડલ અને બાળ અભિનેત્રી રહી ચૂકી હતી પરંતુ જિંદગીએ તેમની સાથે એક એવી મજાક કરી કે ૧૪ વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી ગઈ હતી “રસના  ગર્લ”. તો ચાલો તમને જણાવી દઈએ કે શું થયું હતું આ બાળકી સાથે?.

૧૪ વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગઈ હતી “રસના ગર્લ”

૧૪ મે ૧૯૯૮ નાં રોજ મુંબઈમાં જન્મેલી તરુણી સચદેવ બાળ કલાકાર હતી. તેમના પિતા હરેશ સચદેવ એક ઇંડસ્ટ્રીયલિસ્ટ છે અને માતા મુંબઈમાં “ઇસ્કોન” ના રાધા ગોપીનાથ મંદિરની એક ભક્ત મંડળીની સદસ્ય હતી. તરૂણીએ પોતાનો અભ્યાસ મુંબઈમાં જ કર્યો હતો અને તે પોતાની માતા સાથે મંદિરનાં તહેવારનાં ઘણા નાટકોમાં ભાગ લેતી હતી. તરુણી ૫ વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ હતી અને તે પોતાના સમયની સૌથી વધારે પૈસા કમાવવા વાળી બાળ કલાકારોમાંથી એક હતી.

તરૂણીએ રસના, કોલગેટ, ICICI બેંક, રિલાયન્સ મોબાઇલ, એલજી, કોફી બાઈટ, ગોલ્ડ વીનર, શક્તિ મસાલા જેવા ઉત્પાદકો માટે ઘણા ટેલિવિઝન એડમાં અભિનય કર્યો હતો. તે ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રતિભાશાળી અને હંમેશા વ્યસ્ત રહેવા વાળી ચાઇલ્ડ હતી. તરુણી સ્ટાર પ્લસનાં શો “ક્યાં આપ પાંચવી પાસ સે તેજ હૈ?” માં પણ કન્ટેસ્ટન્ટ બનીને નજર આવી ચુકી છે અને આ શો ને શાહરુખ ખાન હોસ્ટ કરતા હતાં. તેમણે વર્ષ ૨૦૦૪ માં આવેલી મલયાલમ ફિલ્મ “વેલ્લિનક્ષત્રમ” થી પોતાનું ડેબ્યુ કર્યું હતું.

૧૪ મે ૨૦૧૨ એ અચાનક ખબરો આવી કે તરુણી એ દુનિયા છોડી દીધી છે અને તેમનું નિધન એક એક્સિડન્ટમાં થઈ ગયું. હકીકતમાં જ્યારે નેપાલના અગ્નિ એર ફ્લાઇટ CHT પ્લેન ક્રેશ થયું હતું તે ફ્લાઈટમાં તરુણી પણ હતી. તે પોતાની માતા ગીતા સચદેવ સાથે તે ફ્લાઈટમાં હતી અને તેમની માતાનું પણ આ એક્સિડન્ટમાં નિધન થયું. તે દિવસે તરુણીનો જન્મદિવસ પણ હતો. આ કહાની તમારી આંખોમાં આંસુ લાવી શકે છે.

સોમવારે પશ્ચિમ નેપાળમાં ૨૦ સીટર વિમાન ફસડાઈને ક્રેશ થયું અને તેમાં ૧૬ ભારતીય, ૨ ડેનમાર્ક વાસી અને ચાલક દળના ત્રણ સદસ્યો પણ સામેલ હતા. જેમાં ૧૩ યાત્રી અને ચાલક દળના બે સદસ્યોનું નિધન થઈ ગયું હતું. લગભગ ૯.૪૫ વાગ્યે પ્લેન ટુકડામાં બદલાઈ ગયું. ૧૫ લોકોએ આ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેમાં ૬ યાત્રી બચી ગયા હતાં.

મિત્રોને મજાકમાં કહ્યું હતું અલવિદા

૧૧ મે ૨૦૧૨ એ તરુણીને નેપાળ જવાનું હતું અને તે જતાં પહેલા પોતાના બધા જ મિત્રોને મળી હતી અને ગળે લગાવ્યા હતાં. તે સમયે તરૂણીએ બધાને કહ્યું હતું કે, “હું તમને બધાને છેલ્લી વાર મળી રહી છું”. જોકે તેમણે આ વાત મજાકમાં કહી હતી. મીડિયા સાથે વાતચીતમાં તરુણીનાં મિત્રોએ જણાવ્યું હતું કે આ પહેલા તરુણીએ તેમને ક્યારેય ગળે લગાવ્યા ના હતા અને ના કોઈપણ ટ્રીપ પર જતાં પહેલા અલવિદા બોલતી હતી. છેલ્લે તેમણે પોતાના મિત્રોને મજાકમાં કહ્યું હતું કે, જો ઉડાન દરમિયાન પ્લેન ક્રેશ થઈ જાય તો… બાદમાં હસતાં હસતાં પોતાનાં મિત્રોને “આઇ લવ યુ” બોલીને ચાલી ગઈ હતી.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>