વાસ્તુ ટિપ્સ : હંસની એક તસ્વીર તમને બનાવી શકે છે ધનવાન, બસ કરવાનું રહેશે આ નાનું કામ

 


ઘર હોય કે ઓફિસ-દુકાન વાસ્તુશાસ્ત્ર દરેક જગ્યાની સમસ્યાઓનો ઉકેલ કરે છે. તેમાં અલગ-અલગ પ્રકારના ઉપાય રહેલા છે, જે આપણા જીવનના પ્રોબ્લેમને ખતમ કરવા માટે બનાવવામાં આવેલ છે. આજે અમે તમને હંસ સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્રનો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. હંસ એક એવું પક્ષી છે, જેને વાસ્તુશાસ્ત્રમાં હંમેશાથી પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ હંસનાં રૂપમાં અવતરિત થઈ ચૂક્યા છે. વળી માં સરસ્વતીનું વાહન પણ હંસ હોય છે. વાસ્તુ શાસ્ત્રની વાત કરવામાં આવે તો હંસની તસ્વીર અથવા મૂર્તિને ઘર ઓફિસ અથવા દુકાનમાં લગાવવી શુભ માનવામાં આવે છે. આવું કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો જાણીએ કે વાસ્તુનાં લાભ મેળવવા માટે કયા પ્રકારની હંસની તસ્વીર અથવા મૂર્તિ પોતાના પરિસરમાં લગાવવી જોઈએ.

જો તમે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો અથવા ધનસંગ્રહ કરવામાં તથા વૃદ્ધિ કરવામાં પરેશાની થઇ રહી છે, તો હંસની તસ્વીર પોતાના અતિથિ કક્ષમાં લગાવવી જોઈએ. તેનાથી તમારા ઘરમાં પૈસાની આવક વધવાની શરૂ થઈ જશે. તમારા ઘરમાં લાંબો સમય સુધી પૈસા ટકી રહેશે.

ઘરની નકારાત્મક ઊર્જા તમારા નુકશાનનું કારણ બને છે. તેવામાં ઘર ઓફિસ અથવા દુકાનમાં હંસની તસ્વીર લગાવવી જોઇએ. જેનાથી નેગેટિવ એનર્જીને ખતમ કરી શકાય છે. આ તસ્વીર સકારાત્મક ઉર્જાનું સ્તર વધારે છે. જો તમારા ઘર ઓફિસ અથવા દુકાનમાં પોઝિટિવ એનર્જી વધી જાય તો ત્યાં માં લક્ષ્મી આકર્ષિત થઈને પ્રવેશ કરે છે. આ રીતે તમારી ધન સંબંધિત સમસ્યા ખતમ થઈ જાય છે.

વર્કપ્લેસ અથવા ઘરમાં હંસની તસ્વીર લગાવવાથી મન પ્રસન્ન રહે છે. આપણને નેગેટિવ વિચાર આવતા નથી. મનમાં ફક્ત સકારાત્મક ચીજો ચાલે છે. તેની અસર આપણા સારા સ્વાસ્થ્ય અને કામ પ્રત્યે વધારે ફોકસ કરવા જેવી ચીજો પર પડે છે.

બાળકોનું અભ્યાસમાં વધારે મન ન લાગતું હોય તો તેમના સ્ટડી ટેબલ પર હંસની તસ્વીર રાખી દો, તેનાથી તેમના મન અને રૂમ બંને જગ્યાએ પોઝિટિવ એનર્જી આવી જશે. તેમનું મન અભ્યાસમાં વધારે લાગશે. તે વ્યર્થ વાતોમાં પોતાનો સમય બરબાદ કરશે નહીં.

બેડરૂમમાં પણ હંસની તસ્વીર લગાવી શકાય છે. તેના માટે તમારે બે હંસનાં જોડા વાળી તસ્વીર પસંદ કરવાની રહેશે. તેનાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.

ઘરના હોલમાં સફેદ હંસની વિશાળ તસ્વીર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હંસ ધનનું પ્રતીક હોય છે. તેનો ફોટો લગાડવાથી ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે. જેના લીધે તમારી આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

ઘણા લોકો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ હંસની તસ્વીર લગાવે છે. તેનાથી ધનની દેવી આપણને આર્થિક લાભ પ્રદાન કરે છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>