હું 32 વર્ષની પરણિત છું, લગ્નના 2 વર્ષ પછી મને ખબર પડી કે મારા પતિને..

 

સમસ્યા:
મને કઈ સમજાતું નથી હું શું કરું એમ. હું 32 વર્ષની પરિણીતા છું, મારાં લગ્નને બે વર્ષ થયાં છે. લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિને તેમની સાથે કામ કરતી એક કુંવારી યુવતી સાથે અનૈતિક સંબંધ છે. મેં વિરોધ કર્યો હતો, તો તેમને મારી સામે ગુસ્સે થઈ ગયા. હવે તો મારા પતિએ છૂટાછેડાનો કેસ પણ દાખલ કરી દીધો છે.

સમાધાન:
તમારા પતિ એમની સાથે નોકરી કરતી યુવતી તરફ આકર્ષાયા હશે. લગ્ન પછી જ્યારે તમને એમના સંબંધ વિશેની જાણ થઈ હતી, ત્યારે તમારે પરિસ્થિતિ સમજીને પતિને ભરપૂર પ્રેમ આપવાની જરૂર હતી, જેથી તે પેલી યુવતીના મોહોપાશમાંથી ધીરે ધીરે છૂટી શકે. આમેય એકાએક તો સંબંધ તૂટી જવાના ન હતા. જો તમે ધીરજ રાખી હોત, તો વહેલામોડા એનો અંત આવી ગયો હોત. તમે તો પતિ સાથે કલેશ કરવાનું શરૂ કરી દીધું અને કાયમના કંકાસથી કંટાળી તમારા પતિએ તમારાથી છૂટા થઈ જવાનું નક્કી કરી લીધું.

હવે જ્યારે વાત આટલી હદે વધી ગઈ છે ત્યારે તમે તમારા ઓળખીતા બે-ચાર વડિલોને વચ્ચે રાખીને સમાધાન કરી લો, તો હજી પણ લગ્નજીવન તૂટતું બચાવી લેવાની તક છે અને પછી ના સમયમાં તમારે તમારા પતિને ભરપૂર પ્રેમ કરીને ફરીથી સબંધ બનાવો તો ધીરે ધીરે તમારો પતિ બીજી બાજુ નહીં પણ તે તમારી તરફ આકર્ષાય. લડાઈ ઝગડા કરવો તે આ સમસ્યાનું નિવારણ નથી. આનું એક જ નિવારણ છે પતિને ભરપૂર પ્રેમ કરવો.

સમસ્યા:
હું 31 વર્ષનો શિક્ષક છું. બે વર્ષ પહેલાં મારી સગાઈ વતનથી નજીકના ગામની એક યુવતી સાથે થઈ હતી. ત્યાં મારી જ્ઞાાતિની 11મા ધોરણમાં ભણતી એક છોકરી ટયુશન માટે આવતી હતી. અમારી વચ્ચેનો સંબંધ ધીરે ધીરે શારીરિક સંબંધ સુધી પહોંચી ગયો. અમારી બેદરકારીને કારણે એ છોકરી નાપાસ થઈ ગઈ, તેથી મને બહુ પસ્તાવો થયો. હું એ છોકરી સાથેનો સંબંધ પણ તોડી નાખવા માગું છું, પરંતુ તેને કહું કઈ રીતે તે સમજાતું નથી, અમારાં લગ્ન પણ શક્ય નથી. આ સ્થિતિમાંથી હું શું કરી શકું.

સમાધાન:
તમારી ઉંમર કરતા છોકરીની ઉંમર હજુ બાળપણમાં ગણાય છે તમારે જરા વિવેકથી કામ લેવું જોઈતું હતું. તમે એક શિક્ષક છો. આવો વ્યભિચાર તમને શોભતો નથી. છોકરીને સમજાવો કે અત્યાર સુધી જે થયું તે ઠીક નહોતું.

જો તમારો બંનેનો આવો અનૈતિક સંબંધ સમાજની સામે ઉઘાડો પડી જશે, તો તમારી બદનામી કરતાં એની વધારે બદનામી થશે અને આવા કિસ્સામાં તમને કોઈ શિક્ષક તરીકે પણ નહીં ઓળખી શકે.

સમસ્યા:
કઈ સમજાતું નથી. મારી ઉંમર 20 વર્ષ છે. હું બીજી જ્ઞાાતિના યુવકને ચાહું છું. એ પણ મને ખૂબ પ્રેમ કરે છે. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ, પણ અમારાં કુટુંબીજનો સંમત નથી. તેઓ એવી ધમકી આપે છે કે જો અમે લગ્ન કરીશું, તો તેઓ અમારી સાથે સંબંધ નહીં રાખે. અમે લગ્ન કરવા દ્દઢનિશ્ચયી છીએ. બીજી સમસ્યા એ છે કે બે વર્ષ પછી મારે વિદેશ જવાનું છે. આ દરમ્યાન મારો પ્રેમી મને ભૂલી તો નહીં જાય ને? એ અત્યારે અભ્યાસની સાથોસાથ નોકરી પણ કરે છે.

સમાધાન:
પહેલા તો તમારે ઘરના વિરુદ્ધ જઈને લગ્ન ન કરવા જોઈએ. બીજી વાત કે તમારા ઘરમાં જ્ઞાતિનો ભેદભાવ ના હોય તો તમે ઘરનાને માનવીને લગ્ન કરી શકો છો અને તમે એક તરફ એમ પણ કહો છો કે તમે બંને પ્રેમની બાબતમાં ગંભીર છો અને એકબીજાને જીવનસાથી બનાવવાનો નિર્ણય કરી ચૂક્યાં છો, જ્યારે બીજી તરફ તમને ડર છે કે દૂર જવાથી તમારો પ્રેમી તમને ભૂલી જશે. આ કેવું?

તમે વિદેશ ફરીને આવો, ત્યાં સુધીમાં તમારો પ્રેમી અભ્યાસ પૂરો કરીને કોઈ સારી નોકરી મેળવી લેશે અને ગૃહસ્થીની જવાબદારી સંભાળવા લાયક પણ બની જશે.

સમસ્યા:
હું 22 વર્ષની યુવતી છું. મારી માતા અત્યંત બેદરકાર સ્ત્રી છે. એની બેદરકારીના કારણે હું 3-4 વાર બળાત્કારનો ભોગ બની, છતાં શરમ અને ભયને કારણે કોઈને કંઈ કહી શકી નહીં. હવે મારાં લગ્ન એક ડૉક્ટર સાથે થવાનાં હોવાથી હું આજકાલ માનસિક રીતે અત્યંત પરેશાન છું. શું હું આ લગ્ન કરી શકું?

સમાધાન:
અબોધ અવસ્થામાં જે અકસ્માત થયો હોય, તે કારણે તમે તમારું જીવન બરબાદ કરી નાખશો? આ ઘટનાને એક દુ:સ્વપ્નની માફક ભૂલી જઈને નિશ્ચિત બની લગ્ન કરી લો. તમારા પતિને કંઈ જાણ નહીં થાય.

સમસ્યા:
હું 25 વર્ષની શિક્ષિકા છું અને માત્ર બાર ધોરણ સુધી ભણેલ યુવકને પ્રેમ કરું છું. જો કે હજી સુધી મેં મારા પ્રેમની અભિવ્યક્તિ કરી નથી. હું એનામાં મારા ભાવિ પતિની છબી જોઉં છું. એ મારો પ્રસ્તાવ સ્વીકારે, પછી જ પ્રેમ વિશે વિચાર કરી શકું. એ યુવક ફર્નિચરનો ધંધો કરે છે. મને એવું જાણવા મળ્યું છે કે એ પણ મને ચાહે છે, પરંતુ શૈક્ષણિક યોગ્યતા ઓછી હોવાના કારણે પ્રેમની અભિવ્યક્તિ કરતાં અચકાય છે. હું ગરીબ કુટુંબની યુવતી છું. શું આ સંબંધ થઈ શકે?

સમાધાન:
તમારા વાત પરથી સ્વષ્ટ થાય છે કે તમે માત્ર પ્રેમને લીધે નહીં, પણ ભાવિ જીવનસાથીની કલ્પનાથી એ યુવક પ્રત્યે આકર્ષાયા છો. આ માટે વધારે યોગ્ય તો એ જ રહેશે કે, તમારાં કુટુંબીજનો દ્વારા યુવકના પિતા પાસે પ્રસ્તાવ રજૂ કરો.

તમારા મતાનુસાર જો એ પણ તમને પસંદ કરતો હોય, તો સંબંધ થવામાં કોઈ અવરોધ નથી. અભ્યાસ જ સર્વસ્વ નથી. પુરુષ મહેનતું, વ્યવસાયમાં સફળ તથા સમજદાર હોય, તો ઉચ્ચ શિક્ષિત કરતાં પણ વધારે યોગ્ય ગણાય.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>